Ep-1: તીર્થંકર ભગવાન શ્રીમહાવીરના જીવનની અને તેમની સાથે સંબંધ ધરાવતી બાબતોની સંક્ષિપ્ત નોંધ.
નોંધ- સર્વોદય તીર્થના સ્થાપક ભગવાન શ્રીમહાવીરની ગતજન્મથી લઈને તેઓ મોક્ષે પધાર્યાં ત્યાં સુધીની વિવિધ બાબતોની જરૂરી સંક્ષિપ્ત નોંધ-સૂચી અહીં આપી છે.
૧. ચ્યવન તથા ૨. જન્મ, એ બન્ને કલ્યાણકો અને તેની સાથે સંબંધ ધરાવતી વિગતો
| ક્રમાંક | પ્રશ્ન | ઉત્તર |
|---|---|---|
| ૧ | મહત્ત્વના મુખ્ય ભવાની સંખ્યા (શ્વેતામ્બાર મતે) | ૨૭ |
| ૨ | ગત જન્મમાંથી શ્રુતજ્ઞાન કેટલું લાવ્યા? | ૧૧ અંગ-આગમ-થાઓ જેટલું |
| ૩ | તીર્થંકર શાથી બન્યા? | ‘વીશ સ્થાનક’ નામના તપની કોઇઆરાધનાથી |
| ૪ | ગત જન્મમાં થયા હતા? | ૧૦મા પ્રાણત નામના વૈમાનિક કલ્પ (દેવલાકમાં) |
| ૫ | પૂર્વભવનું દેવ-આયુષ્ય કેટલું? | ૨૦ સાગરોપમ |
| ૬ | ચ્યવનસ્થળ | બ્રાહ્મણકુંડ ગામ-નગર |
| ૭ | ગર્ભધારક પ્રથમ માતાનું નામ | દેવાનંદા બ્રાહ્મણી |
| ૮ | પ્રથમ પિતાનું નામ | ૠષભદત્ત બ્રાહ્મણ |
| ૯ | દેવાનંદાને કેટલાં સ્વપ્નો આવ્યાં? | સિંહ વગેરે ૧૪ |
| ૧૦ | તેનાં ફળો કોણે કહ્યાં? | પતિ ઋષભદત્તે |
| ૧૧ | ચ્યવનમાસ અને તિથિ | આષાઢ સુદિ ૬ |
| ૧૨ | ચ્યવન નક્ષત્ર | ઉત્તરાફાલ્ગુની |
| ૧૩ | ચ્યવન રાશિ | કન્યા |
| ૧૪ | ચ્યવન કાલ | મધ્યરાત્રિ |
| ૧૫ | ગર્ભાપહરણ ક્યારે થયું? | ૮૩મા દિવસે |
| ૧૬ | કોણે કર્યું? | ઇન્દ્રની આજ્ઞાથી હરિણૈગમેષીદેવે |
| ૧૭ | શા કારણે કર્યું? | ભિક્ષુકકુલના કારણે |
| ૧૮ | ગર્ભને કયાં પધરાવ્યો? | ક્ષત્રિયાણી ત્રિશલારાણીની કુક્ષિમાં |
| ૧૯ | દેવાનંદાનો ગર્ભકાળ કેટલો? | ૮૨ દિવસ |
| ૨૦ | ગર્ભધારક દ્રિતીય માતાનું નામ | ક્ષત્રિયાણી રાણી ત્રિશલા |
| ૨૧ | દ્રિતીય પિતાનું નામ | સિદ્ધાર્થ રાજા |
| ૨૨ | માતા ત્રિશલાને પણ ૧૪ સ્વપ્ના આવેલાં? | હા, દેવાનંદાની જેમ જ |
| ૨૩ | તેનું ફળ કોણે કહ્યું? | પતિ સિદ્ધાર્થ તથા સ્વપ્ન-લક્ષણ-પાઠકોએ |
| ૨૪ | ત્રિશલાનું ગૃહસ્થાન | ક્ષત્રિયકુંડગામ-નગર |
| ૨૫ | સિદ્ધાર્થનું ગૃહસ્થાન | ક્ષત્રિયકુંડગામ-નગર |
| ૨૬ | ત્રિશલાના ગર્ભમાં કેટલો સમય રહ્યા? | ૬ મહિના અને ૧૫II દિવસ |
| ૨૭ | બન્નેના સમુદિત સંપૂર્ણ ગર્ભકાલ કેટલો? | ૯ મહિના અને ૭II દિવસ |
| ૨૮ | જન્મ માસ અને તિથિ | ચૈત્ર સુદ ૧૩ |
| ૨૯ | જન્મ સમય | મધ્યરાત્રિ |
| ૩૦ | જન્મ નક્ષત્ર | ઉત્તરાફાલ્ગુની |
| ૩૧ | જન્મ રાશિ | કન્યા |
| ૩૨ | જન્મ કયા આરામાં? | ચોથા આરામાં |
| ૩૩ | જન્મ સમયે ચોથો આરો બાકી કેટલો? | ૭૫ વર્ષ અને ૮II મહિના |
| ૩૪ | જન્મ નગર | ક્ષત્રિયકુંડગામ-નગર |
| ૩૫ | ભગવાનના ગોત્રનુ નામ | કશ્યપ |
| ૩૬ | જાતિનું નામ | જ્ઞાતક્ષત્રિય |
| ૩૭ | કુલનું નામ | જ્ઞાતકુલ |
| ૩૮ | વંશનું નામ | જ્ઞાતવંશ |
| ૩૯ | વર્ધમાન નામ શાથી પડયું? | ગર્ભમાં આવ્યા બાદ ઘરમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ થતી રહી તેથી |
| ૪૦ | મહાવીર નામ શાથી પડયું? | આમલકી ક્રીડા પ્રસંગે દેવના પરા-જય કરવામાં મહા વીરતા બતાવી તેથી દેવાએ આ નામ પાડયું |
| ૪૧ | લાંછન-ચિહ્ન શું હતું? | સિંહ (જંઘા ઉપર રહેલી ચામડીની કુદરતી આકૃતિ) |
| ૪૨ | શારીરિક શુભ ચિહ્નો-લક્ષણો કેટલાં? | ૧૦૦૮ |
| ૪૩ | જન્મ વખતે અને સંસારાવસ્થામાં કેટલા જ્ઞાનથી સહિદ હતા? | મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન (મર્યાદિત પ્રત્યક્ષ-પરોક્ષ પદાર્થનું જ્ઞાન) |
| ૪૪ | દેહ વર્ણ | પીળ (પીળ રંગના સુવર્ણ જેવો પીળો) |
| ૪૫ | દેશના રૂપ-કાલ્તિ | સર્વરૂપાથી સુંદર, સર્વકાન્તિથી શ્રેષ્ઠ |
| ૪૬ | શરીર બલ કેટલું? | અનંત |
| ૪૭ | સંઘષણ (અસ્થિ સંધિની રચના) | પહેલું વજઋષભનારાચ (અત્યન્ત મજબૂત) |
| ૪૮ | સંસ્થાન (-શરીરરચના માપ) | પહેલું સમચતુરસ્ત્ર (ચારે છેડાઓ સરખા હોવાથી અતિ સુંદર) |
| ૪૯ | ઉત્સેધ અંગુલથી દેહમાન | સાત હાથનું |
| ૫૦ | આત્મ અંગુલથી દેહમાન | ૧૨૦ અંગુલનું |
| ૫૧ | પ્રમાણ અંગલથી દેહમાન | ૨૧ અંશ |
| ૫૨ | મસ્તકની વિશેષતા શી? | શિખાસ્થાન ઘણુ ઉન્નત |
| ૫૩ | દેશના રુધિરનો વર્ણ કેવા? | શ્વેત (ગાયના દૂધ સમાન) |
| ૫૪ | વિવાહ (લગ્ન) કરેલો હતો? | હા |
| ૫૫ | વિવાહિત પત્નીનું નામ શું? | યશોદા |
| ૫૬ | સંતાન હતુ? | હા (માત્ર એક જ પુત્રી હતી) |
| ૫૭ | ગૃહસ્થાશ્રમનો કાળ કેટલો? | ૩૦ વર્ષ |
| ૫૮ | વાર્ષિક દાન કેટલું આપ્યું? | ૩ અબજ,૮૮ કરોડ,૮૦ લાખ સોનામહોરોનું |
૩. દીક્ષા કલ્યાણક અને તેને લગતી વિગતો
| ક્રમાંક | પ્રશ્ન | ઉત્તર |
|---|---|---|
| ૧ | દીક્ષામાસ અને તિથિ | માગાર વિદ દશમ (ગુ. કા. વિદ) |
| ૨ | દીક્ષાસમય | દિવસનો ચતુર્થપ્રહર |
| ૩ | દીક્ષાનક્ષત્ર | ઉત્તરાફાલ્ગુની |
| ૪ | દીક્ષારાશિ | કન્યા |
| ૫ | દીક્ષાસમયે વય | ૩૦ વર્ષની |
| ૬ | દીક્ષામાં સ્વીકૃત મહાવ્રતો કેટલી હોય? | અહિંસા, સત્ય આદિ પાંચ |
| ૭ | દીક્ષા-દિવસના તપ | છટ્ઠ (-૨ ઉપવાસ)નો |
| ૮ | દીક્ષા મહાયાત્રાની શિબિકાનું નામ? | ચંદ્રપ્રભા |
| ૯ | દીક્ષા વખતે સાથે બીજા દીક્ષા લેનારા હતા? | ના (એકલા જ હતા) |
| ૧૦ | દીક્ષાવ્રત કયા ગામમાં લીધું? | ક્ષત્રિય-કુંડ ગામ-નગરમાં |
| ૧૧ | દીક્ષા કયા વનમાં લીધી? | કુંડગામના જ્ઞાતખંડવનમાં |
| ૧૨ | દીક્ષા કયા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ નીચે |
| ૧૩ | લોન્ચ કેટલી મુષ્ટિથી કર્યો? | પંચમુષ્ટિથી |
| ૧૪ | વ્રતોચ્ચારણ બાદ કર્યું શાન થયું? | ચોથું-મન:પર્યવજ્ઞાન |
૧૨II વર્ષ અને પંદર દિવસનો સાધના કાળ અને તેને લગતી હકીકતો
| ક્રમાંક | પ્રશ્ન | ઉત્તર |
|---|---|---|
| ૧ | દેવદુષ્ય કેટલો વખત રહ્યું? | એક વર્ષ અને એક મહિનાથી અધિક |
| ૨ | પ્રથમ પારણુ શાનાથી કર્યું? | ક્ષીર-ખીરથી |
| ૩ | પ્રથમ પારણુ કયારે કર્યું? | દીક્ષાના બીજા દિવસે |
| ૪ | પ્રથમ પારણ ક્યાં કર્યું? | કોલ્લાગ સન્નિવેશમાં |
| ૫ | પ્રથમ પારણુ કોણે કરાવ્યું અને ક્યાં? | બહુલ નામના બ્રાહ્મણે પોતાના ઘરે |
| ૬ | પ્રથમ ક્ષીર શેમાં લીધી? | ગૃહસ્થે આપેલા પાત્રમાં |
| ૭ | ઉત્કૃષ્ટ તપ કેટલા મહિનાનો કર્યો? | ૬ મહિનાના ઉપવાસનો |
| ૮ | અભિગ્રહો કરેલા? | વિવિધ પ્રકારે કર્યાં |
| ૯ | સંપૂર્ણ તપ કેટલા? | ૪૧૬૬ દિવસના ઉપવાસનો |
| ૧૦ | સાધિક ૧૨II વર્ષના ઉપવાસી તપમાં પારણાંના દિવસો કેટલા? | ૩૪૯ |
| ૧૧ | સાધના-કાળનું ક્ષેત્ર ? | પૂર્વે અને ઉત્તર ભારતના પ્રદેશ |
| ૧૨ | સાધિક ૧૨II વર્ષની સાધનામાં પ્રમાદ-નિદ્રાકાલ | અન્તર્મુહૂર્ત—બે ઘડીના (૪૮ મિનિટ) |
| ૧૩ | ઉપસર્ગા થયા હતા? | હા,ઘણાં જ |
| ૧૪ | કોણે કર્યા હતા? | મનુષ્યો, દેવો અને તિર્યંચાએ |
| ૧૫ | સાધના ક્યા આસને કરી? | મોટા ભાગે ઊભા ઊભા કાર્યોત્સર્ગ આસને (જિનમુદ્રાથી) |
૪. કેવલજ્ઞાન કલ્યાણક અને તેને લગતી મુખ્ય હકીકતો
| પરિપત્ર નંબર | પ્રશ્ન | ઉત્તર |
|---|---|---|
| ૧ | કેવલજ્ઞાન માસ અને તિથિ | વૈશાખ સુદિ ૧૦ |
| ૨ | દિવસનું નામસુવ્રત | (શાસ્ત્રીય નામ) |
| ૩ | મુહૂર્તનું નામવિજય | (શાસ્ત્રીય નામ) |
| ૪ | કેવલજ્ઞાનના સમયચતુર્થ પ્રહર | સાયંકાલ |
| ૫ | કેવલજ્ઞાન સમયની રાશિ | કન્યા |
| ૬ | કેવલજ્ઞાન સમયની વર્ષ | ૪૩ વર્ષ |
| ૭ | કેવલજ્ઞાનનું સ્થાન | જ્રંભિક ગામની બહારનું ૠજુ-વાલિકા નદી પાસેનું ખેતર (બિહાર પ્રાંત) |
| ૮ | કેવલજ્ઞાન વખતે બીજા કોઈ શિષ્યો સાથે હતા ખરા? | એક પણ નહિ |
| ૯ | તે વખતે શરીર ઉપર વસ્ત્ર હતું? | ના |
| ૧૦ | બીજું કંઈ સાથે રાખ્યું હતું? | ના, સર્વથા અપરિગ્રહી |
| ૧૧ | સાધના કાળમાં ઉપદેશાદિ આપે? | વિશિષ્ટ ઉપદેશ રૂપે પ્રાય: ન બોલે, વાર્તાલાપ હોઈ શકે છે |
| ૧૨ | કેવલજ્ઞાન કયા વૃક્ષ નીચે થયું? | સાલ (શાલ) વૃક્ષ નીચે |
| ૧૩ | કેવલજ્ઞાન ક્યા આસને થયું? | ઉત્કટુક અથવા ગોદોહિકા |
| ૧૪ | કેવલજ્ઞાન વખતે તપ ક્યો? | છઠ્ઠું (બે ઉપવાસ) તપ |
| ૧૫ | અતિશયો કેટલા? | ચોત્રીસ |
| ૧૬ | વાણીના ગુણો કેટલા? | પાંત્રીસ |
| ૧૭ | પ્રાતિહાર્યોં કેટલા? | આઠ |
પોતાના તીર્થ (શાસન)ની સ્થાપના અને વિગતો
| ક્રમાંક | પ્રશ્ન | ઉત્તર |
|---|---|---|
| ૧ | તીર્થોત્પત્તિ ક્યારે? | કેવલજ્ઞાન પ્રાપ્તિના બીજા દિવસે બીજા વખતના સમવસરણમાં |
| ૨ | તીર્થસ્થાપના માસ અને તિથિ | વૈશાખ-સુદિ ૧૧ |
| ૩ | તીર્થનો ક્યારે વિચ્છેદ થશે? | પાંચમા આરાના છેલ્લા દિવસના |
| ૪ | પ્રથમ ગણધરનું નામ? | ઇન્દ્રભૂતિ |
| ૫ | પ્રથમ સાધ્વીનું નામ? | ચંદનબાળા |
| ૬ | પ્રથમ શ્રાવકનું નામ? | શંખ |
| ૭ | પ્રથમ શ્રાવિકાનું નામ? | સુલસા |
| ૮ | ભકત રાજાઓમાં પ્રધાન ભક્ત રાજવી કોણ? | મગધેશ્વર ‘શ્રેણિક’ |
| ૯ | શાસનયાનું નામ? | માતંગ |
| ૧૦ | શાસનયક્ષિણીનું નામ? | સિદ્ધાયિકા |
પરિવાર દર્શન
| ક્રમાંક | પ્રશ્ન | ઉત્તર |
|---|---|---|
| ૧ | ગણસંખ્યા | નવ |
| ૨ | ગણધરોની સંખ્યા | અગિયાર |
| ૩ | સાધુઓની સંખ્યા | ચૌદ હજાર (સ્વહસ્તદીક્ષિત) |
| ૪ | સાધ્વીઓની સંખ્યા | છત્રીસ હજાર (સ્વહસ્તદીક્ષિત) |
| ૫ | શ્રાવકોની સંખ્યા | એક લાખ ઓગણસાઠ હજાર (બાર વ્રતધારી, બાકી એ વ્રત વિનાના લાખા હતા) |
| ૬ | શ્રાવિકાઓની સંખ્યા | ત્રણ લાખ અઢાર હજાર (બાર વ્રતધારી, બાકી વ્રત વિનાના શ્રાવક શ્રાવિકાની સંખ્યા ઘણા લાખોની) |
| ૭ | કેવલજ્ઞાની મુનિઓની સંખ્યા | સાતસો |
| ૮ | મન:પર્યવજ્ઞાની મુનિઓની સંખ્યા | પાંચસો |
| ૯ | અવધિજ્ઞાની મુનિઓની સંખ્યા | તેરસો |
| ૧૦ | ચૌદ પૂર્વધર મુનિઓની સંખ્યા | ત્રણસો |
| ૧૧ | વૈક્રિયલબ્ધિધારી મુનિએની સંખ્યા | સાતસો |
| ૧૨ | વાદી (-વાદવિવાદમાં કોષ્ઠ) મુનિઓની સંખ્યા | ચારસો |
| ૧૩ | સામાન્ય મુનિઓની સંખ્યા | દશ હજાર નેવ્યાસી |
| ૧૪ | પ્રકીર્ણક મુનિઓની સંખ્યા | ચૌદ હજાર |
| ૧૫ | પ્રત્યેબુદ્ધ મુનિઓની સંખ્યા | ચૌદ હજાર |
| ૧૬ | અનુત્તર વિમાનમાં જનારા મુનિઓની સંખ્યા | ---- |
૫. નિર્વાણ-મોક્ષ કલ્યાણક અને તેને લગતી હકીકતો
| ક્રમાંક | પ્રશ્ન | ઉત્તર |
|---|---|---|
| ૧ | મોક્ષગમન–મારા અને તિથિ | કાર્તિક વદિ અમાવસ્યા (ગુ. આસો વદિ અમાસ) |
| ૨ | મેાક્ષસમયનું નક્ષત્ર | સ્વાતિ |
| ૩ | મેાક્ષસમયની રાશિ | તુલા |
| ૪ | નિર્વાણ-મોક્ષ સમયની વય | ૭૨ વર્ષ |
| ૫ | મોક્ષ વખતે ક્યો સંવત્સર ચાલતા હતો? | ચંદ્ર નામનો બીજો સંવત્સર |
| ૬ | મોક્ષે ગયા તે મહિનાનું નામ | પ્રીતિવર્ધન (શાસ્ત્રીય નામ) |
| ૭ | મોક્ષે ગયા તે પક્ષનું નામ | નંદીવર્ધન (શાસ્ત્રીય નામ) |
| ૮ | મોક્ષ ગયા તે દિવસનું નામ | અગ્નિવેશ્ય અથવા ઉપશમ |
| ૯ | મોક્ષ ગયા તે રાત્રિનું નામ | દેવાનંદા અથવા નિરતિ |
| ૧૦ | મોક્ષસમયનો લવ ક્યો? | અર્ય (શાસ્ત્રીય નામ) |
| ૧૧ | મેોક્ષસમયને પ્રાણ કયો? | મુહર્ત (શાસ્ત્રીય નામ) |
| ૧૨ | મોક્ષસમયના સ્તોક કયો? | સિદ્ધિ (શાસ્ત્રીય નામ) |
| ૧૩ | મોક્ષસમયનું કરણ કયું? | નાગ [ત્રીજું કરણ] (શાસ્ત્રીય નામ) |
| ૧૪ | મોક્ષસમયનું મુહૂર્ત કયું? | સર્વાર્થસિદ્ધ (પાછલી રાતનું) |
| ૧૫ | મોક્ષસમયનું સ્થળ કયું? | પાવા મધ્યમા અપાપાપુરી (મગધવર્તી, બિહાર) |
| ૧૬ | મોક્ષસમયનું સ્થાન કયું? | હસ્તિપાલ રાજાના કારકૂનોની શાળા |
| ૧૭ | મોક્ષ વખતે દેશના કેટલા કલાક આપી? | અખંડ ૪૮ કલાક |
| ૧૮ | કયા આસને મોક્ષે પધાર્યા? | પર્યકાસને અથવા પદ્માસને |
| ૧૯ | મેલમાં ગયા પછી અશરીરી એમના આત્માની અવગાહના કેટલી? | ૪-૨/૩ હાથની |
| ૨૦ | મોક્ષસમયનો તપ | છઠ્ઠું (બે ઉપવાસ) તપ |
| ૨૧ | મોક્ષસમયે માસે જનારા બીજા સાથે હતા? | કોઈપણ નિંદ |
| ૨૨ | મોક્ષ પધાર્યા તે સમય કયો? | પાછલી રાત્રિનો |
| ૨૩ | ક્યા આરામાં મોક્ષે ગયા? | ચોથા આરાના છેડે |
| ૨૪ | મોક્ષસમયે ચોથો આરો કેટલો બાકી હતો? | ત્રણ વર્ષ સાડા આઠ મહિના |
| ૨૫ | કેટલી પરંપરા સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો? | ત્રણ પાટ સુધી (ત્રણ શિષ્ય-પ્રશિષ્ય સુધી) |
| ૨૬ | તેમના શાસનમાં મોક્ષે જવાનો પ્રારંભ કયારે થયો? | કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષ વીત્યાં ત્યારે |
પ્રકીર્ણક જાણવા યોગ્ય કેટલીક વિગતો
| પ્રશ્ન | ઉત્તર |
|---|---|
| ૧. દેશના શેના ઉપર બેસીને આપે? | દેવનિર્મિત સમોસરણમાં કે સુવર્ણ કમલ ઉપર |
| ૨. શું પ્રવચન રોજ આવે? | હા |
| ૩. રોજ કેટલા વખત આપે? | સવાર, બપાર બે વખત, દરેક વખતે એક પ્રહર આપે (કુલ ૨ પ્રહર એટલે ૬ કલાક બોલે) |
| ૪. કઈ ભાષામાં આપે? | અર્ધમાગધી-પ્રાકૃત (સર્વભાષાની જનેતા)માં |
| ૫. તેમનાં શાસ્ત્રો ગણધરોએ કઈ ભાષામાં ગુધ્યાં? | મુખ્યત્વે અર્ધમાગધી પ્રાકૃતમાં |
| ૬. પ્રથમ તપના પારણામાં અન્નદાન આપનારની ગતિ કઈ થાય? | પેહલા કે ત્રીજા ભવે મોક્ષે જનાર હોય |
| ૭. ભિક્ષાસમયે પંચ દિવ્યા ક્યા થાય? | ૧. વસ્ત્ર, ૨. સુગંધી જ્લવૃષ્ટિ, ૩. વસુધારાવૃષ્ટિ, ૪. ‘અહો-દાનની ઘોષણા, ૫. દુંદુભિનાદ. |
| ૮. એમના શાસનમાં કેટલા જણાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું? | પુરુષ અને સ્ત્રી મળીને નવ |
| ૯. એમના તીર્થમાં રુદ્ર ક્યા થયા? | સત્યકિ |
| ૧૦. એમના તીર્યમાં કયા દર્શનની ઉત્પત્તિ થઈ? | વૈશેષિક દર્શનની |
| ૧૧. ભગવાનની આશ્ચર્યજનક ઘટનાઓ કેટલી બની? | પાંચ (ગર્ભાપહરણ, પ્રથમ દેશના નિષ્ફલ વગેરે) |
| ૧૨. સાધુનાં મહાવ્રતો કેટલાં? | પાંચ |
| ૧૩. શ્રાવકનાં અણુવ્રતો કેટલાં? | બાર |
| १४. ચારિત્રના પ્રકારો કેટલા? | પાંચ |
| १५. મૂલ તત્ત્વોની સંખ્યા કેટલી? | નવ અથવા ત્રણ |
| १६. સામાકિ વ્રત કેટલા પ્રકાર? | ચાર |
| १७. પ્રતિક્રમણ કેટલા પ્રકાર? | પાંચ |
| १८. ૭ આવશ્યક-પ્રતિક્રમણ કેટલી વાર કરવાનાં? | સાંજ-સવાર (નિયમિતપણે બે વાર) |
| ૧૯. સંમ-ચારિત્રના પ્રકારો કેટલા? | સત્તર |
| ૨૦. આચારપાલન સુલભ કે દુર્લભ? | બહુ દુર્લભ |
| ૨૧. મુનિ કેવાં વસ્ત્રો વાપરે? | રંગવિનાનાં શ્વેત અને સામાન્ય કોટિનાં |
| ૨૨. એ વખતની પ્રજાનો સ્વભાવ કેવો? | વક્ર-જડ-એટલે સરલતા ઓછી અને બુદ્ધિની પ્રગલ્ભતા ઓછી |
| ૨૩. ભારતમાં ભગવાનના વિહાર ક્યાં-ક્યાં થયો? | મોટા ભાગે પૂર્વ ઉત્તર ભારતમાં: તે ઉપરાંત એકાદ વખત પશ્ચિમ ભારત સુધી. |
| ૨૪. કેટલા રાજાઓ ભક્ત હતા? | સંખ્યાબંધ રાજાઓ |
પ્રભુજીના ૭૨ વર્ષના આમુખ્યકાળની સંક્ષિપ્ત વહેંચણી
| કાર્ય | કાળ |
|---|---|
| ૧. ગૃહસ્થાવસ્યાનો કાલ | ૩૦ વર્ષ |
| ૨. દીક્ષાપર્યાયના કાલ | ૪૨ વર્ષ (અને એટલા જ ચાતુર્માસે) |
| ૩. છદ્મસ્થાવસ્થાનો કાલ | ૧૨II વર્ષ અને ૧૫ દિવસ |
| ૪. કેવલજ્ઞાનનો કાલ | ૨૯ વર્ષ પII મહિના |
| ૫. સંપૂર્ણ આયુષ્ય કાલ | ૭૨ વર્ષ સંપૂર્ણ (પ્રાચીન જૈન પદ્ધતિની ગણના મુજ્બ) |