Ep-5: શ્રી ખીંવસર તીર્થ
[ પુરાતન ક્ષેત્ર ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પ્રાચીન ચરણ, લગભગ ૩૭ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: ખીવંસર ગામની બહારના તળાવના કિનારે.
પ્રાચીનતા: આનું પ્રાચીન નામ અસ્થિગ્રામ હતું. આને ખૂબ જ પ્રાચીન ક્ષેત્ર માનવામાં આવે છે. અસ્થિ ગામનો ઉલ્લેખ “કલ્પસુત્ર” માં પણ આવે છે. એક જમાનામાં આ એક વિરાટનગર હશે. કહેવાય છે કે ભગવાન મહાવીર મરૂભૂમિમાં વિચર્યા ત્યારે અહીંયા ચાતુર્માસ કર્યો હતો. ચરણ પાદુકાઓ પર કોઈ લેખ ઉત્કીર્ણ નથી. ચરણો લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન હોવાનું બતાવાય છે.
વિશિષ્ટતા: ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનો ચાર્તુમાસ અહીંયા થયો હોવાની કિંવદંતીને લીધે વિશેષતા મનાય છે. પરંતુ સંશોધકો માટે આ એક ખૂબજ મહત્વપૂર્ણ શોધખોળનો વિષય છે.
જે ભૂમિ પર દેવાધિદેવ પ્રભુએ પોતાના ચાતુર્માસ પૂરા કર્યા હોય તે ભૂમિની મહાનતાનું વર્ણન શબ્દોમાં કરવું સંભવ નથી.
ચાર મહિનાઓ સુધી નિરંતર પ્રભુનાં મુખારવિંદથી કેટલાય પૂણ્યશાળી નર-નારીઓં તેમજ પશુ-પક્ષીઓએ અમૃત ભરી વાણી સાંભળીને પોતાનું જીવન સફળ કર્યું હશે. પ્રભુના ચરણ સ્પર્શથી જયાંના કણેકણ પવિત્ર બનેલાં છે તે સ્થળની મહાનતાનું શું વર્ણન કરી શકાય ?
આવા પવિત્ર તેમજ પાવન તીર્થસ્થળની યાત્રા કરવાથી આત્માને વિશેષ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય બીજું કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: મંદિર ગામની બહાર એકાંતમાં હોવાને કારણે વાતાવરણ શાંત તેમજ દશ્ય અતિ સુંદર લાગે છે.
માર્ગદર્શન: આ તીર્થ સડક માર્ગ દ્વારા જોધપુરથી લગભગ ૯૫ કિ.મી. તથા એશિયાથી ૬૦ કિ.મી. દૂર છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન નાગૌર ૪૪ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. અહીંનું બસ સ્ટેન્ડ મંદિરથી લગભગ ૩/૪ કિ.મી. દૂર છે. મંદિર સુધી કાર તથા બસ જઈ શકે છે.

સગવડતા: હાલમાં રહેવા માટેની કોઈ જ સગવડતા નથી. ગામમાં ઉપાશ્રય છે. નાગૌરમાં રહીને જ આવવું સગવડતાભર્યું છે.

પેઢી: શ્રી મહાવીર ભગવાન જૈન મંદિર શ્રી જૈન શ્વેતાંબર મંદિર માર્ગી ટ્રસ્ટ (નાગૌર), પોસ્ટ : ખીંવસર ૩૪૧ ૦૨૫. જીલ્લો : નાગૌર પ્રાંત : રાજસ્થાન. ફોન : મુખ્ય કાર્યાલય, નાગૌર ૦૧પ૮૨-૪૦૩૧૮ (પી.પી.)